મોરબી: આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ મેળવે એટલું જ પૂરતું નથી પણ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરે એ ખુબજ જરૂરી છે, પ્રવર્તમાન સમયમાં સારા પ્લામ્બરની જરૂર છે, સારા કડીયાની જરૂર છે, સારા રસોયાની પણ જરૂર છે,સારા સંગીતકાર,ગાયક,વક્તા આવા બધા જ વ્યવસાયકારો ખુબજ સારૂં કમાય છે.
ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ધો.6 થી 8 માં વૉકેશનલ ટ્રેનિંગની વ્યવસાયલક્ષી શિક્ષણની જોગવાઈ કરેલ છે ત્યારે બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના બાળકો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાળકોએ ચણા ચાટ, પાણી પુરી,ભેલ, ભુગરા બટેટા , વેજીટેબલ સેન્ડવીચ,મિની પિઝા વગેરે વાનગી બનાવવામાં તમામ બાળકોએ ભાગ લીધો તે બદલ તમામ વિદ્યાર્થીઓને કિરણભાઈ કાચરોલા આચાર્ય તેમજ તમામ શિક્ષકોએ ખુબ ખુબ ધન્યવાદ પાઠવ્યા હતા.
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...