મોરબી: આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ મેળવે એટલું જ પૂરતું નથી પણ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરે એ ખુબજ જરૂરી છે, પ્રવર્તમાન સમયમાં સારા પ્લામ્બરની જરૂર છે, સારા કડીયાની જરૂર છે, સારા રસોયાની પણ જરૂર છે,સારા સંગીતકાર,ગાયક,વક્તા આવા બધા જ વ્યવસાયકારો ખુબજ સારૂં કમાય છે.
ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ધો.6 થી 8 માં વૉકેશનલ ટ્રેનિંગની વ્યવસાયલક્ષી શિક્ષણની જોગવાઈ કરેલ છે ત્યારે બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના બાળકો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાળકોએ ચણા ચાટ, પાણી પુરી,ભેલ, ભુગરા બટેટા , વેજીટેબલ સેન્ડવીચ,મિની પિઝા વગેરે વાનગી બનાવવામાં તમામ બાળકોએ ભાગ લીધો તે બદલ તમામ વિદ્યાર્થીઓને કિરણભાઈ કાચરોલા આચાર્ય તેમજ તમામ શિક્ષકોએ ખુબ ખુબ ધન્યવાદ પાઠવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને ૧ વર્ષ...
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ...