મોરબી: નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિન નિમિતે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી,તમામ શાળાઓ, મહાશાળાઓમાં રંગે ચંગે યોગ કરવામાં આવ્યા,યોગ પાસે મનુષ્ય માટે સંપૂર્ણ સઁદેશ છે યોગ પાસે માનવ શરીર માટે સંદેશ છે, પોગ પાસે માનવ મન માટે સઁદેશ છે, યોગ પાસે માનવ આત્મા માટે સંદેશ છે,એવા ભાવ સાથે એ સૂત્રને સાર્થક કરવા માટે મોરબી જિલ્લામાં PMSHRI યોજના માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળામાં વિશ્વ યોગદિનની ઉજવણીના ભાગરૂપે સવારમાં ધો.બાલવાટિકા થી ધો. 5 ની વિદ્યાર્થીનીઓએ યોગ પ્રાણાયામ અને બપોરની પાળીમાં ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓ માટે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા પ્લેકાર્ડ બનાવવા વગેરે સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં ધો.6 થી 8 ની 150 જેટલી બળાઓએ હોંશભેર ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો.સમગ્ર સ્પર્ધા સફળ બનાવવામાં દિનેશભાઈ હિરજીભાઈ સાવરિયા જયેશભાઈ અગ્રાવત,ચાંદનીબેન સાંણજા,નિલમબેન ચૌહાણ વગેરે શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી,યોગ દિવસની વિવિધતા સભર ઉજવણી કરવા બદલ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે શાળા પરિવારને અભિનંદન અને ધન્યવાદ પાઠવેલ છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...