મોરબીના લોકો સતત કંઈક ને કંઈક દાન કરતા રહેતા હોય છે એમાંય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી પાયાની સગવડો પુરી પાડવી,શૈક્ષણિક કીટ અર્પણ કરવી,વગેરે દાનની પ્રવૃત્તિઓ કરી બાલ દેવો ભવ: ની ભાવનાને સાર્થક કરતા હોય છે ત્યારે અત્રેની માણેકવાડા શાળામાં સોડિયમ સિલિકેટ બનાવતી રંગપર ગામ પાસે આવેલ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક માણેકવાડા ગામના હિરેનભાઈ રતિલાલ દેત્રોજાએ 25000/- રૂપિયા પચ્ચીસ હજાર નું મોંઘામુલનું આધુનિક ટેકનોલોજી વાળું વોટરપ્યુરીફાયર શાળાને અર્પણ કરેલ હોય બાળકો હોંશે હોંશે શુદ્ધ પાણી પીને તરસ છીપાવી રહ્યા છે અને દિલેર દાતા હિરેનભાઈનો હૃદયપૂર્વક વંદન રહ્યા છે.દાતાના અદકેરા દાનને શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ શાળા પરિવાર દિલથી આભાર પ્રકટ કર્યો છે.
રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ ૨૩૦૦ જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે.
આ તમામ નવા કંડકટરોની ટ્રેનિંગ પણ આજથી રાજકોટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી ડેપોને ૩૭ નવા કંડકટર ફાળવવામાં આવેલ છે ત્યારે હવે મોરબી ડેપોમાં...
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઈનર બ્રીજની મુલાકાત કરી...
મોરબીની લખધીરજી એન્જિનિયરીંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ટરનેશનલ હ્યુમન્સ રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના મહારાજા લખધીરજીના નામથી મોરબી સ્ટેટ દ્વારા જગ્યા દાનમાં આપીને એન્જીનીયરીંગ કોલેજે શરુ કરવામાં આવેલ...