મોરબીના લોકો સતત કંઈક ને કંઈક દાન કરતા રહેતા હોય છે એમાંય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી પાયાની સગવડો પુરી પાડવી,શૈક્ષણિક કીટ અર્પણ કરવી,વગેરે દાનની પ્રવૃત્તિઓ કરી બાલ દેવો ભવ: ની ભાવનાને સાર્થક કરતા હોય છે ત્યારે અત્રેની માણેકવાડા શાળામાં સોડિયમ સિલિકેટ બનાવતી રંગપર ગામ પાસે આવેલ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક માણેકવાડા ગામના હિરેનભાઈ રતિલાલ દેત્રોજાએ 25000/- રૂપિયા પચ્ચીસ હજાર નું મોંઘામુલનું આધુનિક ટેકનોલોજી વાળું વોટરપ્યુરીફાયર શાળાને અર્પણ કરેલ હોય બાળકો હોંશે હોંશે શુદ્ધ પાણી પીને તરસ છીપાવી રહ્યા છે અને દિલેર દાતા હિરેનભાઈનો હૃદયપૂર્વક વંદન રહ્યા છે.દાતાના અદકેરા દાનને શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ શાળા પરિવાર દિલથી આભાર પ્રકટ કર્યો છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...