મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં આર.ઓ.પટેલ મહિલા કોલેજ-મોરબીમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ.,એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો.સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય એમની ઈચ્છા પી.એચ.ડી.કરવાની હતી, સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય: એક અધ્યયન Human Values In Visnupuran And Bhagavatpuran: A Study વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ,અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ સાહેરાબાનુ અનવરખાન પઠાણે મહા સંશોધન નિબંધ તૈયારી કરી એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા,સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે.આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...