મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં આર.ઓ.પટેલ મહિલા કોલેજ-મોરબીમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ.,એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો.સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય એમની ઈચ્છા પી.એચ.ડી.કરવાની હતી, સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય: એક અધ્યયન Human Values In Visnupuran And Bhagavatpuran: A Study વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ,અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ સાહેરાબાનુ અનવરખાન પઠાણે મહા સંશોધન નિબંધ તૈયારી કરી એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા,સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે.આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ના વનાળિયા ખાતે...
સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે જે નર્મદાના નીર થકી ભરવારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે. અને વધારાનું પાણી ગેઇટ...
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાંથી જુગાર રમતા કુલ-૧૨ આરોપીઓને રોકડ રૂા.૧,૬૧,૨૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી કુલ -૧૨ ઈસમો ભાવેશભાઇ મનુભાઇ ખાંભડીયા રહે ગામ ગોલાસણ તા.હળવદ, મેહુલભાઈ જેરામભાઇ...