મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં આર.ઓ.પટેલ મહિલા કોલેજ-મોરબીમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ.,એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો.સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય એમની ઈચ્છા પી.એચ.ડી.કરવાની હતી, સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય: એક અધ્યયન Human Values In Visnupuran And Bhagavatpuran: A Study વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ,અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ સાહેરાબાનુ અનવરખાન પઠાણે મહા સંશોધન નિબંધ તૈયારી કરી એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા,સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે.આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
આગામી રથયાત્રા તેમજ ગ્રામ પંચાયતની ચુટણી અનુસંધાને પેટ્રોલીંગ દરમિયાન મોરબી શનાળા ગામ પાસે આવેલ મેડીકલ કોલેજ સામે રોડ ઉપરથી કોલસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨, ૮૦૦ /-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૦૯,૩૨,૮૦૦ /- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી...
મોરબીના નિવૃત શિક્ષિકાની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લેતા મુખ્યમંત્રી
મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ડી.જે.પી કન્યા વિદ્યાલયમાં વર્ષો સુધી ફરજ બજાવી નિવૃત થયેલા નીતાબેન પટેલ એક પગે દિવ્યાંગ હોવા છતાં નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિસિલ રહી શાળામાં નિયમિત રીતે લાઈબ્રેરેરિયન તરીકે નિઃશુલ્ક સેવા આપે છે અને એમને પ્રાપ્ત થતી પેન્શનની...