મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનું જ્ઞાન સાધના પરીક્ષામાં ઝળહળતું પરિણામ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વંદના 109 અને હેંસી પરમાર 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની ધો.8 ની 45 માંથી 20 બાળાઓએ 60 થી ઉપર માર્ક પ્રાપ્ત કર્યા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ ટ્રેનિંગ, મેડિકલ એસેસેમેન્ટ, રંગોત્સવ, રમતોત્સવ, એક્સપોઝર વિઝીટ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત, સાયન્સ સર્કલ,મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ,જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા, ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે.
જેમાં આ વર્ષે ધોરણ આઠમા લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાનું ઝળહળતું પરિણામ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળાને અનોખી સિદ્ધિ અપાવેલ છે તેમજ આ શાળાની તેજસ્વી બાળા *વંદના હંસરાજભાઈ પરમાર 109 માર્ક અને હેંસી દિલીપભાઈ પરમાર 97 માર્ક સાથે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. રાજય લેવલની પરીક્ષામાં 45 માંથી 20 બાળાઓએ 60 કે તેથી ઉપર માર્ક પ્રાપ્ત કરી શાળાને ગૌરવશાળી સિદ્ધિ અપાવેલ છે,શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ બાળાઓ તેમજ ધોરણ છ થી આઠમા ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરે ધો.6 થી 8 ના તમામ વિષય શિક્ષકો અને વિદ્યાર્થીનીઓને ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવેલ છે.