સ્થાનિક વેપારીઓ ની સવાર ગુડ મોર્નિંગ થી નહિ બેડ મોર્નિંગ થી થઇ રહી છે
જે પ્રકારે દિલ્લી નો લાલ કિલ્લો અને શ્રીનગરનો લાલ ચોક નો લાલ ચોક પ્રખ્યાત છે તેમ મોરબીમાં નગર દરવાજો પ્રખ્યાત છે અને મોરબીની સૌથી જુની માર્કેટ પણ આવેલી છે તો સાથોસાથ મોરબીની સૌથી જૂની અને જાણીતી સોની બજાર પણ ત્યાં આવેલી છે પરંતુ મોરબીનાં નગર દરવાજા ની કમ નશીબી તો જુઓ બોસ ત્યાં દરરોજ ઉભરાતી ગટરોના પાણી આ નગર દરવાજા ની અને મોરબીની આબરૂ પર ઉભરાતી ગટરોના પાણી ફરી વળ્યા છે.
સ્થાનિક બજારમાં રોજ હજારો લોકો ખરીદી કરવા માટે આવે છે છે જેમને આ ઉભરાતી ગટરોના પાણી માં ચાલવા મજબૂર બન્યા છે વેપારી આ ગટરના પાણી થી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં આનું કોઈ કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી આ ઉપરાતે ગટરથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો ને પણ ખૂબ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ મોરબી નગરપાલિકા સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે દરરોજ સ્વચ્છતા અભિયાનના ફોટાઓ મીડિયા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહી છે તો બીજી તરફ મોરબીના નગર દરવાજાના વિસ્તારના દ્રશ્યો અવારનવાર મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી અને માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બની આ બધું જ જોઈ રહ્યું છે.
ચૂંટણી ટાણે સામે ચાલીને વેપારીઓને ગળે મળી અને વિકાસ કરવાની અને આ ઉભરાતી ગટરની સમસ્યા માંથી મુક્તિ આપવા માટેની વાતો કરતા નેતા હાલ મિસ્ટર ઈન્ડિયાની જેમ ગુમ થઈ ગયા છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...