મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તા. ૧૨ સપ્ટેમ્બરથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધી મોરબીના કોરોના દિવંગતોના મોક્ષાર્થે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહ નિમિતે તા. ૧૧ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરે ભવ્ય શોભાયાત્રા-પોથીયાત્રા યોજાશે જે પોથીયાત્રા તા. ૧૧ ને રવિવારે બપોરે ૩ : ૩૦ કલાકે ઉમિયા માતાજી મંદિર, ઉમા ટાઉનશીપ મોરબી ૨ ખાતેથી પ્રસ્થાન થશે અને શોભાયાત્રા શહેરના સર્કીટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વિસીફાટક, ગેસ્ટ હાઉસ રોડ, નગર દરવાજા ચોક, વસંત પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપા સીતારામ ચોક રવાપર રોડ, સ્વાગત હોલ રવાપર ચોકડી, અવની ચોકડી અને ઉમિયા સર્કલ તેમજ ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારમાં ફરીને શક્તિ માતાજી મંદિર શનાળા ગામથી પટેલ સમાજ વાડી પહોંચશે
આ શોભાયાત્રા-પોથીયાત્રાનું વિવિધ સ્થળોએ સમાજના આગેવાનો,વેપારીઓ અને મોરબીજનો દ્વારા સ્વાગત કરવામાં આવશે
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...