મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં નાની કેનાલ રોડની વસાહતમાં છેલ્લા પંદર દિવસ થી પીવાના પાણીની લાઈન લીકેજ થતી હોવાથી આ વેડફાતું પાણી રોડમાં ઘણે સુધી રહેતું રહે છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ નાની કેનાલ રોડ અત્યારે ખૂબ જ વિકસિત વિસ્તાર છે. પરંતુ ત્યાં મંજૂરી વગરના બાંધકામ થતા હોય ત્યાં નીકળતી પીવાની પાણીની લાઈનમાં નગરપાલિકાની જાણ હોય કે ન હોય પણ ત્યાં કનેક્શન લઈ લેવામાં આવ્યા છે. અને આ કનેક્શન લીધા પછી કાળજીપૂર્વક કામગીરી કરી ન હોય કનેક્શન લીધું ત્યારથી આ પાણી વેડફાતું રહે છે. અને આ વેડફાતા પાણી અંગે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તાત્કાલિક આ વહેતું પાણી બંધ કરવામાં આવે અને જો આ કનેક્શન ગેરકાયદેસર લીધું હોય તો પાણી ચોરી કર્યા અંગેની જે કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરવામાં આવે. અને જો કનેક્શનની મંજૂરી લીધી હોય તોતાત્કાલિક વેડફાતુ પાણી બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...