મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં નાની કેનાલ રોડની વસાહતમાં છેલ્લા પંદર દિવસ થી પીવાના પાણીની લાઈન લીકેજ થતી હોવાથી આ વેડફાતું પાણી રોડમાં ઘણે સુધી રહેતું રહે છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ નાની કેનાલ રોડ અત્યારે ખૂબ જ વિકસિત વિસ્તાર છે. પરંતુ ત્યાં મંજૂરી વગરના બાંધકામ થતા હોય ત્યાં નીકળતી પીવાની પાણીની લાઈનમાં નગરપાલિકાની જાણ હોય કે ન હોય પણ ત્યાં કનેક્શન લઈ લેવામાં આવ્યા છે. અને આ કનેક્શન લીધા પછી કાળજીપૂર્વક કામગીરી કરી ન હોય કનેક્શન લીધું ત્યારથી આ પાણી વેડફાતું રહે છે. અને આ વેડફાતા પાણી અંગે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તાત્કાલિક આ વહેતું પાણી બંધ કરવામાં આવે અને જો આ કનેક્શન ગેરકાયદેસર લીધું હોય તો પાણી ચોરી કર્યા અંગેની જે કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરવામાં આવે. અને જો કનેક્શનની મંજૂરી લીધી હોય તોતાત્કાલિક વેડફાતુ પાણી બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવાકે રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ,ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ...
જો તમને આરટીઓ ચલણ બાબતે APK ફાઈલોનો મેસજ આવે તો ખોલતા પહેલાં ચેતી જજો તમારૂં ખાતુ થઈ શકે ખાલી આવો જ કિસ્સો મોરબીમા પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા યુવકના ફોનમાં આરટીઓ ચલણ APK ફાઈલનો મેસેજ આવતા ઓપન કરતા વેપારીના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર...
મોરબી: ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ભરપૂર એવા ‘શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર શ્રી રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુ બાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા)ના શ્રીમુખે સંભળાવવામાં આવશે. આ શિવ કથા તા.4 જાન્યુઆરીને રવિવારથી 12 જાન્યુઆરી સોમવાર સુધી યોજાશે....