રક્ષાબંધનના આ શુભ પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય મોરબી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાહેબની પ્રેરણાથી એક આગવી સૂઝ – બૂઝ સાથે અને કંઈક નવું કરવાના ઉત્કૃષ્ટ ભાવ સાથે જે પર્વની ગરિમાને હંમેશા આત્મસાત કરતી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ચેતના સાથેનો જે આયામ નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ અંતર્ગત એક રાખડી બાંધવાના વિશિષ્ટ આયોગ અને સુયોગ સાથે જે આજરોજ મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનને વધુ પ્રબળ બનાવતા સંસ્કૃતિને ઉજાગર કરી પર્વને સાર્થક કરતા નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રીત સાથે આગવી પ્રેરિત ભાવના સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
ત્યાર બાદ PI પંડ્યા સાહેબ તેમજ ASI ભટ્ટી ભાઈ એ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી FRI થી માંડીને લોકઅપ ને લગતી રોચક માહિતી તેમજ સોશિયલ મીડિયા ક્રાઇમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન લક્ષી વક્તવ્ય આપ્યું હતું અને અંતમા વિદ્યાર્થિનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...