મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઇ પડસુંબિયા દ્વારા મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ ગોકળગાયની હતી એ ચાલતું હોઈ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલતું હોય ત્યારે રાહદારીઓને તેમજ વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોઈ. ત્યારે ઓવરબ્રિજની વચ્ચેનો રસ્તો બંધ હોવાના કારણે વાહનચાલકોને પુલના છેડેથી ફરીને જવું પડતું હોઈ ત્યારે વાહનચાલકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે આ કામ સત્વરે પૂર્ણ કરવાં માટે મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...