મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઇ પડસુંબિયા દ્વારા મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી કંડલા બાયપાસ પાસે આવેલ નવલખી ફાટક પરના ઓવરબ્રિજનું કામ ગોકળગાયની હતી એ ચાલતું હોઈ છેલ્લા ત્રણ વર્ષથી આ કામ ચાલતું હોય ત્યારે રાહદારીઓને તેમજ વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોઈ. ત્યારે ઓવરબ્રિજની વચ્ચેનો રસ્તો બંધ હોવાના કારણે વાહનચાલકોને પુલના છેડેથી ફરીને જવું પડતું હોઈ ત્યારે વાહનચાલકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે આ કામ સત્વરે પૂર્ણ કરવાં માટે મોરબી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય...
માળીયા મીંયાણા વિસ્તારના મુળવદર રણકાંઠે રહેતા મહિલાને માથામાં દુખતું હોય જેથી માથાના દુખાવાની બદલે ઝેરી દવા પી જતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા માલાણી શેરીમાં રહેતા મોહસીનાબેન ગુલજારભાઈ માલાણી (ઉ.વ.૨૦) નામની મહિલા પોતાના માતા પિતાને ત્યાં મુળવદર રણકાંઠે હોય તે દરમ્યાન માથામાં દુખતું હોય જેથી માથાના...