મોરબી: 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. સમગ્ર વિશ્વમાં યોગ અને ધ્યાનની જાગૃતિના ભાગરૂપે આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
યોગાભ્યાસમાં શ્વસન, મુદ્રાઓ અને ધ્યાન યોગ જેવી શારીરિક વ્યાયામનો સમાવેશ થાય છે જે લોકોના જીવનમાં સંતુલન અને આધ્યાત્મિક વૃદ્ધિ સાથે તણાવ, હતાશા અને ભય તેમજ બિમારીઓને ઘટાડવામાં મદદ કરે છે.
કંપનીના કર્મચારીઓના માનસિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઇનર ટાઇલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ માટે જાણીતી નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓને ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા સદગુરુ દ્વારા રચાયેલ ધ્યાન યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સીઓઓ, ડાયરેક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ " ઓપરેશન સિંદુર" નાં શૌર્યતા સભર સાહસનેં બિરદાવવા ભારતભરમાં " તિરંગા યાત્રા" દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે.
સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર...
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવસર નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, સંસ્કાર બ્લડ બેન્ક મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ બ્લડ ડોનેશન કેમ્પને મોરબી જિલ્લા...
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતરમાં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદન હમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલમાં બતાવેલ પણ રાહત ન થતા.
આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું...