મોરબી: 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. સમગ્ર વિશ્વમાં યોગ અને ધ્યાનની જાગૃતિના ભાગરૂપે આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
યોગાભ્યાસમાં શ્વસન, મુદ્રાઓ અને ધ્યાન યોગ જેવી શારીરિક વ્યાયામનો સમાવેશ થાય છે જે લોકોના જીવનમાં સંતુલન અને આધ્યાત્મિક વૃદ્ધિ સાથે તણાવ, હતાશા અને ભય તેમજ બિમારીઓને ઘટાડવામાં મદદ કરે છે.
કંપનીના કર્મચારીઓના માનસિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઇનર ટાઇલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડ માટે જાણીતી નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના કર્મચારીઓને ઈશા ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા સદગુરુ દ્વારા રચાયેલ ધ્યાન યોગની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સીઓઓ, ડાયરેક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...