માફી નહીં ટીકીટ રદ કરો; મોરબી કરણી સેના દ્વારા કલેકટરને આવેદન
મોરબી: કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રીય સમાજ વિરુધ્ધ અને સમાજની લાગણી દુભાય તે રીતે અભદ્ર ભાષામાં ક્ષત્રીય સમાજ વિશે ટીપણી કરેલ છે. જેના કારણે સમગ્ર ક્ષેત્રીય સમાજની લાગણ દુભાય છે અને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે જાહેર સભામાં સમગ્ર વિશ્વમાં વસતા ક્ષત્રીય સમાજ વિરુધ્ધ અને સમાજની લાગણી દુભાય તે રીતે અભદ્ર ભાષામાં ક્ષત્રીય સમાજ વિશે ટીપણી કરેલ છે જેથી પરસોતમ રૂપાલાને ફકત રાજકોટ બેઠક જ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં એકપણ સ્થળેથી ચુંટણી લડવા માટે ટીકીટ ન મળે તે માટે મોરબી કરણી સેના દ્વારા વડાપ્રધાનને પણ રજૂઆત વિનંતી કરવામાં આવી છે.
જેમ કે પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રીય સમાજ દેશના રાજા- મહારાજા અને તેમની દિકરીઓ અને મહિલાઓ વિરુધ્ધ ભાષણ કરી સમગ્ર ક્ષત્રીય સમાજની લાગણી દુભાવેલ છે અને ક્ષેત્રીય સમાજની આત્મ સન્માનનું આપમાન કરેલ છે. જેનાથી ક્ષત્રીય સમાજને ખુબ જ આઘાત લાગ્યો છે અને રાષ્ટ્રની સેવા કાજે હજારો વર્ષથી ક્ષત્રીય સમાજ બલીદાન આપતો આવ્યો હોય અને હિન્દુ ધર્મની રક્ષા કરનાર સમાજ વિશે પરસોતમાભાઈ રૂપાલાએ જે રીતે એલફેલ ભાષામાં જાહેરમાં પ્રવચન કરેલ છે તેનાથી ક્ષત્રીય સમાજના ખુબ જ આક્રોસ જોવા મળી રહ્યો છે.
જેથી પરસોતમભાઈ રૂપાલાએ ક્ષત્રીય સમાજની લાગણી દુભાવેલ હોય તેઓની લોક સભાની ટીકીટ તાત્કાલીક અસરથી રદ કરાવવા અને તે બાબતે લગત તમામ પોલીસ સ્ટેશનમાં તેઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા તેમજ ચુંટણી પંચ સમક્ષ પણ તેઓ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા મોરબી કરણી સેનાની દૃઢ માંગ કરી તાત્કાલિક પગલાં લેવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.