પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી.મોરબી ને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગે.કા.હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કે.આર.કેસરીયા . પો.સબ ઇન્સ . , એસ.ઓ.જી. , મોરબી તથા એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે , રહીમ રાયધનભાઇ મીયાણા નામનો માણસ હાજર છે જેને શરીરે ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે . તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીમાં છે . તે બાતમીના આધારે રેઇડ કરતા મળેલ હકીકત મુજબ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ રહીમભાઇ રાયધનભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ .૩૮ ધંધો મજુરી રહે.વાંકાનેર વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત ( ૧ ) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ -૧ , કી.રૂ.૧૦,૦૦૦ ( ર ) જીવતા કાર્ટીઝ નંગ -૨ કી.રૂ .૨૦૦ / – મળી કુલ કિં.રૂ. ૧૦,૨૦૦ / -ના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...