પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી.મોરબી ને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગે.કા.હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કે.આર.કેસરીયા . પો.સબ ઇન્સ . , એસ.ઓ.જી. , મોરબી તથા એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે , રહીમ રાયધનભાઇ મીયાણા નામનો માણસ હાજર છે જેને શરીરે ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે . તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીમાં છે . તે બાતમીના આધારે રેઇડ કરતા મળેલ હકીકત મુજબ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ રહીમભાઇ રાયધનભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ .૩૮ ધંધો મજુરી રહે.વાંકાનેર વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત ( ૧ ) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ -૧ , કી.રૂ.૧૦,૦૦૦ ( ર ) જીવતા કાર્ટીઝ નંગ -૨ કી.રૂ .૨૦૦ / – મળી કુલ કિં.રૂ. ૧૦,૨૦૦ / -ના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...