મોરબીના શનાળા ગામ થી રાજપર જવાના રસ્તા રસ્તા પરથી સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ૬૦૦ પેટી થી વધુ દારૂ પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે આશરે ૭૪૬૪ જેટલી દારૂની બોટલ પકડી પડવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા પર આજ વહેલી સવારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રાજપર ગામ પાસે આવેલ રામદેવપીર ના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ કારખાનામાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે રેઇડ દરમીયાન કારખાના માં રહેલ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ૭૪૬૪ જેટલી બોટલો/ આશરે ૬૨૨ પેટી જેટલો દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત આશરે ૩૨,૦૦,૦૦૦/- લાખ ગણવામાં આવી છે. ઉપરાંત દારૂ લાવેલ ટ્રક કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૪૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ટ્રક માંથી ૬૨૨ જેટલી દારૂની પેટી મળી આવી હતી. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ કરતાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ પટેલ હોઈ આ દારૂનો જથ્થો મૂળરાજ જાડેજા એ મગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ટ્રક ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત બીજા આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો મોરબીના રફાળેશ્વર રોડ થી રાજપર રોડ આવેલ અને આશીર્વાદ ઈમ્પેક્ષના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ બાબતે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવતા જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...