હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સરપંચને તેમના જ કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી ગંભીર રીતે ઘવાયેલા સરપંચને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ બનાવ અંગે પાણી કાઢવાની ના પાડતા અને જૂનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદ પોલીસ મથકેથી આ હુમલાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકીએ તેમના જ કૌટુંબિક કાકાના દીકરા શૈલેષભાઈ હરિભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સરપંચ વશરામભાઈ સોલંકીએ પાણી કાઢવાની ના પાડતા આરોપી શૈલેષભાઈ હરિભાઈ સોલંકીની કમાન છટકી હતી અને પાણી કાઢવાની ના પાડવા ઉપરાંત જૂનું મનદુઃખનો ખાર રાખી ઉશ્કેરાયેલા શૈલેષભાઈ હરિભાઈ સોલંકીએ સરપંચ વશરામભાઈ સોલંકી ઉપર છરી અને લોખડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા સરપંચ પ્રથમ હળવદ બાદ મોરબી અને ત્યાંથી વધુ સરકાર માટે રાજકોટ ખસેડયા છે. તેઓએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રજૂ થયેલા કેન્દ્રીય બજેટ માં મોરબી જિલ્લા ને કોઈ ફાયદો નહી! પણ ભાજપ પ્રમુખ કરશે વખાણ
ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ લાભ મોરબી કે મોરબીના સિરામિક,ઘડિયાળ,કે અન્ય ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો થયો નથી છતાં દેવા તળે દબાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આવતી...
શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી.
મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રીસિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત રાત્રીના...