મોરબી: થોડા દિવસ પહેલા ગત તા. ૩૦-૩૧ ના રોજ મોરબી શનળારોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “ બજરંગ સેલ્સ એજન્સી ” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાન માંથી પનબીડી,સીગારેટ,ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પૂ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થયા અંગેની અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવમાં ચોર તથા મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહન શોધી કાઢી મુદામાલ તથા આરોપીઓને સત્વરે પકડી પાડવા સારૂ .પોલીસ મહાનિરીક્ષક રાજકોટનાએ મોરબી પોલીસ અધિક્ષકને જરૂરી માર્ગદર્શન આપી ગુનો શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા અંગે જરૂરી સુચના આપતા તેઓના માર્ગદર્શન તેમજ સુચના મુજબ પોલીસ ઇન્સપેકટર મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ આરોપી તથા મુદામાલ તાત્કાલિક શોધી પકડી પાડવા સારૂ કાર્યરત હતાં. તેમજ એલ.સી.બી.. | પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત વર્ણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે સદરહુ ગુનો આચરવામાં એક નંબર વગરની બ્લુ કલરની મારૂતી સ્વીફટ ગાડી તથા મહીન્દ્રા બોલરો ગાડી નંબર GJ-63-BV- 9325 વાળી સંડોવાયેલ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જેથી કામે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા પોકેટકોપ એપ માધ્યમથી વધુ તપાસ કરતા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા અનિરૂધ્ધસિંહ રાઠોડ ( ઉ.વ.૩૦ર) તથા મિતરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલ (ઉ.વ.૨૪ રહે. બંને ભાવનગર) અને અરવિંદ જીવણનાથ પરમાર (ઉ.વ.૩૫ રહે. તરઘડી, તા.પડધરી જિ. રાજકોટ)સંડોવણી ફલીત થતાં અલગ અલગ ટીમો બનાવી મોરબીથી ભાવનગર ખાતે મોકલી આરોપીઓ તથા ગુન્હમાં વપરાયેલ સ્વીફટ, બોલેરો ગાડી, તથા ચોરીમાં ગયેલ મુદામાલની ચીજ વસ્તુ ઓ મળી કુલ રૂ.૧૩,૩૬,૭૦૦/- ના મુદામાલ સાથે ત્રણે આરોપીને પકડી પાડી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળી છે.
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...