મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે નુતન સ્ટુડિયો, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે ક્રીમ લચ્છીનું વિતરણ કરવામાં આવશે. જેના આયોજક પિયુષભાઈ જોષી (ગાયત્રી ફ્રેબિકેશન વર્કસ), શૈલેશભાઈ ઠાકર (નૂતન ઇલેક્ટ્રોનિક્સ), મનિષભાઈ જોષી (વકિલ), નરેશભાઈ ઠાકર (નૂતન સ્ટુડિયો), ભાર્ગવભાઈ જોષી, દિક્ષિતભાઈ રાવલ, કનૈયાલાલ જાની (રીટાયર પોલીસ ટંકારા), ધિરેનભાઈ ઠાકર (દ્રષ્ટી સ્ટુડિયો), હસુભાઈ પંડ્યા (શિવ મેડીકલ), અશ્વિનભાઈ રાવલ (Ex.આર્મી) સહિતના જહેમત ઉઠાવશે.
મોરબી મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં ચાલતા તમાંમ બાંધકામોના જરુરી દસ્તાવેજો રજુ કરવા સુચના અપાઇ
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે જેમના દ્વારા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી જે અરજદારોએ અરજી કરેલ હોય તેમાં ૧૯૭૧ની વિકાસ યોજના...
મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અધ્યતન લાઇટિંગ સહિતની સુવિધાઓથી ભરપૂર ફરવાનું નવું સ્થળ મળી રહે તે માટે મોરબી મનપાની ઇલેક્ટ્રીક શાખા એ ગ્લો ગાર્ડનની પ્રાથમિક તબક્કાની ટેન્ડર પ્રોસેસ પૂર્ણ કરી છે, આગામી સમયમાં આ કામગીરી ને શરૂ કરવામાં આવનાર છે, મોરબીમાં ગ્લો ગાર્ડન બનાવવાની ટેન્ડર પ્રક્રિયા ઈલેક્ટ્રીક શાખા એ પૂર્ણ...