મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે નુતન સ્ટુડિયો, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે ક્રીમ લચ્છીનું વિતરણ કરવામાં આવશે. જેના આયોજક પિયુષભાઈ જોષી (ગાયત્રી ફ્રેબિકેશન વર્કસ), શૈલેશભાઈ ઠાકર (નૂતન ઇલેક્ટ્રોનિક્સ), મનિષભાઈ જોષી (વકિલ), નરેશભાઈ ઠાકર (નૂતન સ્ટુડિયો), ભાર્ગવભાઈ જોષી, દિક્ષિતભાઈ રાવલ, કનૈયાલાલ જાની (રીટાયર પોલીસ ટંકારા), ધિરેનભાઈ ઠાકર (દ્રષ્ટી સ્ટુડિયો), હસુભાઈ પંડ્યા (શિવ મેડીકલ), અશ્વિનભાઈ રાવલ (Ex.આર્મી) સહિતના જહેમત ઉઠાવશે.
મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા...
ભુલકાઓના ચહેરા પણ આ ઉપહાર મેળવી તાજા ફુલોની જેમ ખીલી ઉઠ્યા.
કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને શારીરિક માનસિક હતાશા અનુભવી રહ્યા હોય અને તેઓને એકાએક અન્ય સુખી સંપન્ન બાળકો જેવી લખવા વાંચવાની સુવિધા મળી જાય પછી તો ભલા પુછવું જ શું?
આવો...
માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતા બળવંતભાઈ કેશરાભાઇ બારીયા (ઉ.વ.૩૧) નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર માણાબા ગામના તળાવમાં ન્હાવા જતા આકસ્મિક રીતે ડૂબી જતાં...