મોરબી: સરદારધામ – અમદાવાદ એવમ્ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોરબી સ૨દા૨ધામ “પાટીદાર કરીઅર એકેડેમી ખાતે GPSC Class 1&2 Prelims પરીક્ષા માટે નિ: શુલ્ક તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર થનાર ગુજરાત વહિવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ર પ્રાથમિક પરીક્ષા માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ ૦૫-૦૭-૨૦૨૩ સુધીમાં www.patidarcareeracademy.org પર અરજી કરવાની રહેશે. How to apply ( Batch>GPSC Class-1 & 2 Prelims batch 2023-24 )
અરજી કરેલ ઉમેદવારને પ્રવેશ પરીક્ષાના મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તેમજ દિકરીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામા આવેલ છે.
(૧૦) છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત વહીવટી અને મુલ્કી સેવા વર્ગ ૧ અને ૨ ની રૂબરૂ મુલાકાતમાં ઉપસ્થીત થયા હોય
(૧૧) જે ઉમેદવારો અંતીમ ર વર્ષમાં UPSC PRELIMS પરીક્ષામાં ઉતીર્ણ થયા હોય
(૧૨) તેજસ્વી અને જમીન વિહોણા ખેત-મજુરની દિકરીઓને પ્રવેશ પરીક્ષા મેરીટમાં છુટછાટ મળવા પાત્ર રહેશે. પ્રવેશ પરીક્ષા બાદ આપવામાં આવશે.
નોંધ : કેટેગરી ક્રમાંક ૬ થી ૯ અને ૧૨ માં સમાવેશ ઉમેદવારને પ્રવેશ કમીટીની મંજુરીથી વાર્ષિક આવક વગેરે બાબતો તપાસી પ્રવેશ આપવામાં આવશે.
નોંધ : એડમીશન સમયે ૫૧૦૦/- ડીપોઝીટ તરીકે લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓની હાજરી ૮૦% થી વધારે હશે તેઓને સંપુર્ણ ડીપોઝીટ પરત કરવામાં આવશે.
જ્યારે પ્રવેશ પરીક્ષા એવમ્ આયોજન અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર આપેલ છે. તેમજ પ્રવેશ પરીક્ષા અંદાજીત તા. ૧૦/૦૭/૨૦૨૩ જ્યારે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય રોડ, ન્યુ બસ સ્ટેન્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે શરૂ કરવામાં આવશે.
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં સજુભા સંગ્રામસિંહ જાડેજાની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૧૪ બોટલો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના...
મોરબી: કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર આરામ હોટલ સામે હાઈવે રોડ ઉપર ટ્રેક ચાલકે બેફિકરાઈથી ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક સવાર વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા હજીયાસર મહુરવાસ મસ્જીદની બાજુમાં...