મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.
આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. તો આ ઇનામો જીતવા થઈ જાવ તૈયાર.
મોરબીના સામાકાંઠે આવેલ નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભવ્ય ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં (રામધન આશ્રમ) દ્વારા ભવ્ય ભાગવત કથાનું સગીત મય શૈલીમા રસપાન કરાવશે.
આ કથાનો પ્રારંભ તા. 23-12-2025 થી 29-12-2025 સુધી કથાનો દરોજ સમય બપોરે 2:00 થી 6:00 વાગ્યે...
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં...