મોટી સંખ્યામાં યુવાનોએ રાસ ગરબે ઝૂમીને નવરાત્રિને વેલકમ કર્યું
આસો મહિનાની નવરાત્રિ એટલે માઁ ની આરાધનાના દિવસો આજથી નવલી નવરાત્રી મહોત્સવ શરૂ થયો છે. ત્યારે તે પહેલાં ગઇકાલે શનિવારની રાત્રે મોરબીના જાણીતા પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રાસ ગરબે ઝૂમીને નવરાત્રિને વેલકમ કર્યું હતું સાથો સાથ આ નવરાત્રી મહોત્સવનું સંતો મહંતો અને રાજકીય તેમજ સામજિક આગેવાનોની હાજરીમાં રીબીન કાપીને શરૂઆત કરવવામાં આવી હતી.
મોરબીનાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા ઘણા વર્ષો થી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રવાપર – ઘુંનડા રોડ પર ખૂબ જ વિશાળ ગ્રાઉન્ડમાં એક સારા હેતુસર આયોજન કરવામાં આવ્યું છે આ સેવા એજ સંપતિ ફાઉન્ડેશન અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલી છે જેમાં ખાસ અજયભાઈ લોરીયા દેશના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરી રહ્યા છે અને સાથે આવી અનેક પ્રવુતિ કરી રહ્યા છે
ત્યારે ગત રોજ શનિવારના રોજ પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ખાસ કરીને મોરબીનાં ખેલૈયાઓમાં નોરતાની ઉજવણી કરવા થનગનાટ જોવા મળી રહ્યો હતો તેમજ યુવાધન મન મૂકીને ઝુમતું જોવા મળ્યું હતું
તેમજ આ વેલકમ નવરાત્રી કાર્યક્રમ માં વિવિધ જિલ્લામાં થી રાસ મંડળીઓ દ્વારા હુડા રાસ,તલવાર રાસ,સહિતના રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી
