Friday, May 3, 2024

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણી સાથે બેઠક કરી તૌકતેને થયેલા નુકસાન અંગે ચર્ચા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક યોજીને તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી. બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ બેઠકમાં જોડાયા હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ ગુજરાત અને દિવના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ચક્રવાત તૌકતેથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી હતી અને સોમવારે રાત્રે વાવાઝોડાને કારણે ભૂસ્ખલન પણ થયું હોવાથી ચક્રવાતી તોફાનથી રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આજે વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ પવન હજુ પણ ૧૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં વાવાઝોડાની અસર જોવાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડા તૌકતેએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. તેના કારણે થયેલા નુકસાનનો સર્વે કર્યા બાદ સરકાર ચક્રવાતથી થયેલ નુકસાનની ભરપાઈ કરશે. ગુજરાતમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ઉખડી ગયા હતા અને ઘણા મકાનો અને રસ્તાઓને પણ નુકસાન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડાને કારણે 16,000થી વધુ મકાનોને નુકસાન થયું છે જ્યારે 40,000થી વધુ વૃક્ષો અને 1,000થી વધુ ઇલેક્ટ્રિક થાંભલા ઉખડી ગયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર