વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક યોજીને તૌકતે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી. બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ બેઠકમાં જોડાયા હતા. આ પહેલા પ્રધાનમંત્રીએ ગુજરાત અને દિવના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ચક્રવાત તૌકતેથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી હતી અને સોમવારે રાત્રે વાવાઝોડાને કારણે ભૂસ્ખલન પણ થયું હોવાથી ચક્રવાતી તોફાનથી રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આજે વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ પવન હજુ પણ ૧૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર ભારતના અનેક ભાગોમાં વાવાઝોડાની અસર જોવાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડા તૌકતેએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. તેના કારણે થયેલા નુકસાનનો સર્વે કર્યા બાદ સરકાર ચક્રવાતથી થયેલ નુકસાનની ભરપાઈ કરશે. ગુજરાતમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ઉખડી ગયા હતા અને ઘણા મકાનો અને રસ્તાઓને પણ નુકસાન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ચક્રવાતી વાવાઝોડાને કારણે 16,000થી વધુ મકાનોને નુકસાન થયું છે જ્યારે 40,000થી વધુ વૃક્ષો અને 1,000થી વધુ ઇલેક્ટ્રિક થાંભલા ઉખડી ગયા છે.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રુપાણી સાથે બેઠક કરી તૌકતેને થયેલા નુકસાન અંગે ચર્ચા.
વધુ જુઓ
મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો
મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન
મોરબી: બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું સ્થળ હોય તો તે છે શાળા, એમાંય બાળક પોતાનું ઘર છોડી બહાર નીકળીને પહેલું પગલું પ્રાથમિક શાળામાં મૂકે છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાથમિક, માધ્યમિક,...
મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ
મોરબી: મોરબી ગઢવી સમાજનું ગૌરવ મૂળ માળિયા (મી) તાલુકાના સોખડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિરેન નરસિંહ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ હિરેન ગઢવી નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા...
મોરબીના રંગપર ગામે કારખાનામાં શરીર પર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના કાટા નજીક શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ...