એલસીબી પર હુમલો કરનાર અને મોરબી એ ડિવિઝન , બી ડિવિઝન તેમજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ૧૫ જેટલા ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પોલીસ એ પકડી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન , બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન માં પ્રોહિબીસન , ખંડણી, મારામારી તેમજ ધાકધમકી જેવા ૧૫ જેટલા ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓ (૧) નવઘણ મોહનભાઈ બાંભવા, (૨) મચ્છાભાઇ ઉર્ફે લાલો પરબતભાઇ વરૂ ટંકારા પાસે આવેલ જય દ્વારકાધીશ હોટલ માં હોઈ એવી બાતમી મળી હોય ત્યારે એલસીબી દ્વારા બાતમીના આધારે ત્યાં રેઇડ કરવામાં આવી હતી.
પરંતુ પોલીસની ટીમ ત્યાં આરોપીઓની અટકાયત કરવા પહોંચી ત્યારે આરોપીઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ધક્કામુક્કી કરવામાં આવી હતી. બાદ નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન પર લાકડી વડે માથાના ભાગે ડાબી બાજું હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોટલ ખાતે પણ બંને આરોપીઓ દ્વારા પોલીસ સાથે હાથાપાઈ કરી હોય ત્યારે પોલીસ દ્વારા આ બંને આરોપીઓને હોટલ ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે ઉપરાંત બંને વિરુદ્ધ ipc કલમ 186, 332, 504, 506(2) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...