Sunday, June 1, 2025

મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રવિવારે વિદ્યારત્ન અભિવાદન સમારોહ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધો.1થી લઈ સ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ડોકટર, સીએ, વકીલ બન્યા હોય તેવી 60 પ્રતિભાઓનું સન્માન કરાશે

મોરબી : મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ – મોરબી દ્વારા વરીયા પ્રજાપતિના વિદ્યાર્થીઓ માટે તા. 1-6-2025ને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે રેમાન્ડ પાર્ટી પ્લોટ, કલેક્ટર કચેરી પાછળ, મોરબી- 2 ખાતે વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ 1 થી સ્નાતક સુધીના તેમજ સમાજમાં જે ડોક્ટર, વકીલ, સી.એ. થયા હોય તેવા 60 થી વધુ લોકોનું સન્માન કરવામાં આવશે. આ વેળાએ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ વિદ્યાર્થીઓ અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડશે. આ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. જેમાં ઓપરેશન સિંદૂર, રાસ-ગરબા સહિતના ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (બોર્ડિંગ)ની યંગ ટીમ તથા મહિલા વિંગની ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ – મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર