PWD તથા વરિષ્ઠ મતદારોને મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ ભાગીદાર બનાવવા વિશેષ આયોજન
હાલમાં મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન તથા વિવિધ બુથ પર રેમ્પ વગેરે સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે.
દિવ્યાંગો માટે મતદાન સુગમ બને તે માટે જિલ્લા ચૂંટણી શાખા અને જિલ્લા વહેવટીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી વધુ ને વધુ PWD મતદારો આ મતદાનના લોકશાહીના અવસરમાં ભાગીદાર બને. કોઈ PWD મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને મતદાન માટે પ્રેરિત તથા જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત નવજીવન વિકલાંગ સેવાશ્રય, કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ સહિત મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદના અનેક સ્થળોએ PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...