મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી માઈનોર કેનલામા પિયતનુ પાણી ન પોહચતુ હોવાની રાવ થતી હોય છે ત્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતે રાવ કરી છે કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલમાં પિયતના પાણી સારૂં છેવાડાના ખેડૂતો તરસી રહ્યા છે ત્યારે માઈનોર કેનાલને તોડી પાણી વોકળામાં વહાવી દેવામાં આવે છે જેથી જે પાણી કેનાલમાં છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું નથી અને હજારો એકર જમીન પીયતથી વંચિત રહે છે. જેથી ખેડૂતો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કેનાલનું રીપેરીંગ કામ કરી છેવાડાના ખેડૂતો સુધી પાણી પોહચે તેવી કામગીરી કરવામાં આવે.
હળવદના રણજીતગઢ માઇનોર ડી-૧૯ કેનાલમાંથી રણજીતગઢ, રાયસંગપુર, ચાડધ્રાના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાંથી હજારો એકરને પિયતનો લાભ મળે છે. ત્યારે રાયસંગપર પાસે રણજીતગઢ ડી-૧૯ માઇનોર કેનાલમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલ તોડીને પાણી વોકળામાં વહાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને છેવાડાના ખેડૂતો પિયતના પાણીનો લાભ મળતો નથી. જેથી આ વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને આ પ્રકારની કોઈપણ રજૂઆત મળી નથી.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...