51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડનું એલાન થઇ ગયું છે. સિનેમાના ‘થલાઇવા’ અભિનેતા અને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને 51 મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. એક અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક તરીકે તેમનું યોગદાન આઇકોનિક છે.” રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યાં છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. આ વખતે આ નિર્ણયાક જ્યુરીએ આ નિર્ણય લીધો છે. આ જ્યુરીમાં આશા ભોંશલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ધાઇ આ પાંચ જ્યુરીએ બેઠક કરીને એકે મતથી મહાનાયક રજનીકાંતને આ એવોર્ડ આપવાનું ભલામણ કર્યું. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે દાદા સાહેબ ફાળકેએ 1913 માં પહેલુ ફિલ્મ રાજા હરીશચંદ્ર બનાવ્યું હતું. ત્યાર બાદ દાદા સાહેબ ફાળકેના મૃત્યુ બાદ આ એવોર્ડ તેના નામ પરથી રાખવામાં આવ્યો અને આજ સુધી 50 વખત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રજનીકાંતે એકથી એક ચઢિયાતી ફિલ્મ કરી છે. સાઉથથી લઈને બૉલીવુડ સુધી તેમની ઝલક કાયમ જોવા મળે છે. રજનીકાંતની પ્રખ્યાત ફિલ્મની વાત કરીએ તો દરબાર, 2.0, ધ રોબોટ, ત્યાગી, ચાલબાઝ, અંધ કાનૂન, કબાલી, દોસ્તી દુશ્મની વગેરે જેવી ફિલ્મો કરી છે.
રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, પ્રકાશ જાવડેકરે આપી માહિતી.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...