Thursday, April 25, 2024

રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે, પ્રકાશ જાવડેકરે આપી માહિતી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડનું એલાન થઇ ગયું છે. સિનેમાના ‘થલાઇવા’ અભિનેતા અને દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને 51 મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આપી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા રજનીકાંતને 51 મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. એક અભિનેતા, નિર્માતા અને પટકથા લેખક તરીકે તેમનું યોગદાન આઇકોનિક છે.” રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યાં છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે. આ વખતે આ નિર્ણયાક જ્યુરીએ આ નિર્ણય લીધો છે. આ જ્યુરીમાં આશા ભોંશલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ધાઇ આ પાંચ જ્યુરીએ બેઠક કરીને એકે મતથી મહાનાયક રજનીકાંતને આ એવોર્ડ આપવાનું ભલામણ કર્યું. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે દાદા સાહેબ ફાળકેએ 1913 માં પહેલુ ફિલ્મ રાજા હરીશચંદ્ર બનાવ્યું હતું. ત્યાર બાદ દાદા સાહેબ ફાળકેના મૃત્યુ બાદ આ એવોર્ડ તેના નામ પરથી રાખવામાં આવ્યો અને આજ સુધી 50 વખત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રજનીકાંતે એકથી એક ચઢિયાતી ફિલ્મ કરી છે. સાઉથથી લઈને બૉલીવુડ સુધી તેમની ઝલક કાયમ જોવા મળે છે. રજનીકાંતની પ્રખ્યાત ફિલ્મની વાત કરીએ તો દરબાર, 2.0, ધ રોબોટ, ત્યાગી, ચાલબાઝ, અંધ કાનૂન, કબાલી, દોસ્તી દુશ્મની વગેરે જેવી ફિલ્મો કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર