મોરબી તાલુકાના રાજપર ગામે નિરાધાર ગૌ માતાના લાભાર્થે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણનુ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપર ગામે પૃથ્વીરાજ ચૌહાણ મહાન ઐતિહાસિક નાટક તારીખ -૧૬-૧૦-૨૦૨૩ ને સોમવારના રોજ સમય રાત્રી ૯:૩૦ કલાકે રાજપર ગામ ખાતે નાટક ભજવાશે.
તેમજ ખાસ કોમેડી શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રખ્યાત કોમેડીયન ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી તથા રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો લોકોને પેટ પકડાવીને હસાવશે.
તેથી ધર્મના આ મહાન કાર્યમાં સહભાગી થવા સૌ ગૌ- ભક્ત -દિલેર દાતાઓને સહભાગી થવા પધારવા સમસ્ત રાજપર ગામ તેમજ રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાર્કિંગ વ્યવસ્થા પટેલ સમાજવાડી રાજપર ખાતે રાખેલ છે.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...