હર બાલક મેં કલા છુપી હૈ દિલસે બહાર નિકલની ભર કી દેર હૈ l
મોરબી:દરેક બાળકમાં કઈંક ને કંઈક સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે,કંઈકને કંઈક કલા કૌશલ્ય છુપાયેલા હોય છે,બાળકોની એ શક્તિઓને બાળકોને પ્રોત્સાહન પુરું પાડી, માર્ગદર્શન પુરું પાડી બહાર લાવવાનું કામ શિક્ષકો કરતા હોય છે ત્યારે મોરબી તાલુકાનું તમામ સુવિધાઓથી સજ્જ આદર્શ કહી શકાય એવું ગામ એટલે રાજપર ગામ.
આ ગામનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો અનંત સુખદેવભાઈ અઘારા શિક્ષક દિનેશભાઈ ભેંસદ્દડિયાના માર્ગદર્શનથી, પરિવારજનોની પ્રેરણાથી પેન્સિલ વડે દેશનેતાઓ જેવા કે સરદાર પટેલ,મહાત્મા ગાંધીજી, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ,મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, વીર કર્તારસિંહ, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, ડો.બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, ચંદ્રશેખર આઝાદ, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, સ્વામી વિવેકાનંદજી વગેરે મહાપુરુષોના આબેહૂબ ચિત્રો દોરે છે,નાના બાળકની આવડી મોટી સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી અનંત ભવિષ્યમાં ખૂબ મોટો ચિત્રકાર બને એવી અનંત શુભેચ્છાઓ પાઠવેલ છે.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...