મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઇડીસી સુધી લારીઓ ગોઠવાઈ ગઈ હતી. તે દરમીયાન બપોરના સમયે રોડ પર લારી રાખવા અને તેના પૈસાની લેવડદેવડ બાબતે માથાકૂટ થઈ હતી. વાત એટલે વાત એટલી હદે વધી ગઈ હતી કે બંને એક બીજા પર ધોકા અને પાઇપના હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં અંતિમ સિંહ જાડેજા, નીલરાજસિંહ જાડેજા, નવઘણ ધારાભાઈ ભરવાડ, દશરથ રઘુભાઈ માકાસણાને તેમજ સામેં પક્ષે અજય જગદીશ વનકર,જયશ્રી અજય ચૌહાણ, સુનિતા પરમાર એમ બંને પક્ષના કુલ ૭ લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તને પ્રથમ મોરબી સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં એક જૂથના માણસોને વધુ સારવાર અર્થે રાજકોટને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ મોડી રાત્રે એક પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને એક શખ્સ વિરુદ્ધ અગાઉ લૂંટનો ગુન્હો દાખલ થયો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...