વૈશ્વિક બજારમાં હાલ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે. હાલ એક ડોલર સામે ભારતીય રૂપિયાનો ભાવ ૮૦ રૂપિયા થવા આવ્યો છે. ત્યારે આવા સમયે ભારતીય રૂપિયાને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના ધંધાર્થીઓ હવે વૈશ્વિક બજારમાં ભારતીય રૂપિયામાં ટ્રેડ કરી શકશે એટલે કે ટ્રેડ ઇન્વોઇસ ભારતીય નાણાં (INR) માં બનાવી શકાશે અને ફાઇનલ સેટલમેન્ટ પણ ભારતીય રૂપિયા(INR) મા કરી શક્શે. જેના કારણે દેશના આર્થ તંત્રને તેમજ વૈશ્વિક સ્તર પર વ્યવસાય કરતા વેપારીઓને ઘણા ફાયદા થવાના છે.
શું શું ફાયદાઓ થશે ?
(૧) ભારતીય રૂપિયામાં (INR) મા ટ્રેડ ઇનવોઇસ બનાવવાથી વેપારીઓને બીજી કરન્સી સામે રૂપિયાના કિંમતમાં થતાં વ્યવહારમાં મદદ મળશે.
ઘણી વાર વ્યાપાર કર્યો હોઈ (૧ ડોલર = ૭૮) રૂપિયામાં પરંતુ ફાઇનલ સેટલમેન્ટ સમયે ડોલર નો ભાવ વધી જાય તો સેટલમેન્ટ ઉચા ભાવ પર કરવો પડે છે. પરંતુ હવે ભારતીય રૂપિયામાં ટ્રેડ શક્ય હોવાથી આ મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડશે.
(૨) વ્યવસાય કરતા દેશ પર જો અમુક પ્રતિબંધો લગાવવામાં આવે ત્યારે વ્યવસાય અટકતો નથી.
દા.ત. રશિયા પર હાલ મોટા ભાગના પશ્ચિમ દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે. અને હાલ મોટાભાગનો વૈશ્વિક વ્યાપાર ડોલરમાં થઈ છે. પરંતુ જો એ ટ્રેડ ભારતીય રૂપિયા(INR) માં થવા લાગે તો વ્યાપારીઓને પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી.
(૩) ભારતીય રૂપિયો મજબૂત થવાની શક્યતા.
સામાન્ય માંગ અને પુરવઠાના નિયમ મુજબ, જો ભારતીય રૂપિયા(INR)મા વ્યાપાર થશે તો સામે વ્યાપાર કરતા અન્ય દેશના વ્યાપારીઓ ફાઇનલ સેટલમેન્ટ માટે તેમની બેંક પાસે ભારતીય રૂપિયા (INR) ની માંગ કરશે જેના કારણે રૂપિયાનો ભાવ વધવાની શક્યતા છે.
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી, એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા નો-ડયુ ચાર્જની વસુલાત કરવામાં આવે છે તે યોગ્ય કરવા માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને રજૂઆત કરી ખેડૂતોને હિતાર્થે ઘટીત કાર્યવાહી કરવા માંગ કરી.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી...
મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ - પ્રાણાયામ ધ્યાન
મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત હોય છે, એમાંય વળી પોલીસ તરીકેની ફરજ ખુબજ આકરી હોય છે, પોલીસના જવાનો પોતાની ફરજના કારણે સમયસર જમી શકતા નથી,સમયસર ઉંઘ લઈ શકતા...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો અને હોસ્પિટલોમાં સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૯ એપ્રિલ થી ૦૪ મેં સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૩ હોસ્પિટલમાં ૪૮ હેલ્થકેર સ્ટાફને, શાળા પૈકી ૦૩ શાળા ૪૩૦ સ્ટાફને હોટલ પૈકી ૦૩ હોટલ ના...