મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન કલેકટર જી.ટી. પંડ્યાએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા પુરવઠા અધિકારી અને ઈન્ચાર્જ હળવદ પ્રાંત અધિકારી સંદીપ વર્મા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...