ભાજપ એક બાજુ રેવડી ક્લચરનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ ભાજપ રેવડી ક્લચર અનુસરી રહ્યું હોઈ તેવો ઘાટ સર્જાયો હોઈ તેવું લાગી રહ્યું છે
મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.૨૭ અને ૨૮ ઓગસ્ટના બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. જેમાં ૨૭ના સાબરમતી રિવરફ્રન્ટ પર આવશે અને ૨૮ના એ કચ્છ જિલ્લાના પ્રવાસ પર આવશે જેથી પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ રાજયભરમાથી લોકોને ભેગા કરવા પ્રદેશ ભાજપ અને સરકાર સક્રિય બન્યું છે . તેના કારણે એસટી બસ તેમજ ખાનગી વાહનો અમદાવાદ અને કચ્છ તરફ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આગામી ૨૭ અને ૨૮ઓગસ્ટના કાર્યક્રમ માટે ૨૦ જેટલી એસટી બસ ફળવવવામાં આવી છે. જેના કારણે મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી અનેક એસટી બસના રૂટ કેન્સલ કરાતા કલાકો સુધી રાહ જોવા છતાં લોકોને બસ ન મળતા રોષની લાગણી પ્રસરી ગઇ હતી સરકારી કાર્યક્રમમાં સરકારી સાધનોના અણધડ ઉપયોગથી એક તરફ પ્રજાને હાલાકીનો અનુભવ થતો હોય છે તો બીજી તરફ આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...