મોરબીમાં જન ભાગીદારીથી સ્વચ્છતા અભિયાન હેઠળ કરવામાં આવી રહ્યા છે વિવિધ આયોજનો
રાજ્યવ્યાપી સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો થકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના તેમજ આ અભિયાનમાં જનભાગીદારથી કાર્યક્રમ સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હાલમાં જ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાનના ભાગરૂપે નદી-નાળાની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાની સઘન સફાઈ કરવામાં આવી હતી.
ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૧૫ ઓક્ટોબરથી બે માસ માટે ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નદી-નાળાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અન્વયે જન ભાગીદારીને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ નદી-નાળાની સફાઈમાં ગ્રામીણ વિસ્તારના લોકો, સરપંચ તેમજ સ્થાનિક અગ્રણી સહિતના લોકો જોડાયા હતા અને નદી-નાળાની સફાઈ કરી રળિયામણા બનાવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર આવેલ સુપ્રસિદ્ધ વડસર તળાવમાં આજરોજ બપોરના સમયે નાહવા માટે પડેલા એક પરપ્રાંતીય શ્રમિક યુવાન તળાવના પાણીમાં ગરકાવ થતાં યુવકની પાણીમાં શોધખોળ કરવા છતાં પતો ન લાગતા અંતે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી, જેમાં પાંચ કલાક કરતા વધારાની મહેનત બાદ પણ હજુ યુવાની પતો ન...
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી કરી ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને હાલ રાજકોટના સેટેલાઈટ ચોકમાં ઇન્દ્રપ્રસ્થ-૦૨ શેરી નં -૦૪મા...
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે વેપારી યુવક પોતાની ઓફિસે બેઠા હોય ત્યારે ત્રણ શખ્સોએ ફોન કરી એક શખ્સે રાજ્યસેવકનુ ખોટુ નામ ધારણ કરી વેપારી સાથે ફોનમા વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપીયાની લેતીદેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને વેપારી સાથે ખોટા નામથી છેતરપીંડી કરી રૂ. ૩૦૦૦૦ પડાવ્યા હોવાની વેપારી...