શ્રી સજનપર પ્રા. શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મીટિંગ જેવા દ્વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ધો.5 થી 8 ના બાળકોએ વિજ્ઞાનના વિવિધ વર્કિંગ મોડેલ અને વિવિધ પ્રયોગો રજૂ કરી વિજ્ઞાન પ્રત્યેની પોતાની રૂચિ દર્શાવેલ હતી
આ સાથે બાળ વૈજ્ઞાનિકો દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગો નો વિશેષ પ્રયોગ રજૂ કરેલ તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેન વી. એ ગણિત- વિજ્ઞાનના તમામ મોડેલની બાળકોને તૈયારી કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ શાળામાં પુસ્તક પ્રદર્શન, સંગીતના સાધનોનું પ્રદર્શન અને રમત ગમત ના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું.
આ સાથે જ બીજો એક વિશેષ કાર્યક્રમ વાલી મીટીંગ પણ સાથે જ યોજાઈ ગયો હતો જેમા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વાલી મિટિંગમાં શાળના શિક્ષકો અને આચાર્ય દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપી હતી.
આ તકે ટંકારા તાલુકા બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ લજાઈ સી.આર સી. કો. શૈલેષભાઇ સાણજા અને મિતાણા સી.આર.સી. કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી ખાસ હાજર રહ્યા હતા.
આ તકે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહાનુભવોનો આભાર વ્યક્ત કરેલ હતો.
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી....
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...