આજરોજ તા.12-8-2023 ના રોજ શાળામાં “લાઈફસ્કીલ આનંદમેળા’ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના ધો. 6 થી 8 ના બાળકોને પ્રાથમિક કક્ષાથી જ ધંધાકીય આવડતનો વિકાસ થાય તે હેતુથી વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા જેમાં બધા બાળકોએ પોતાની રીતે વિવિધ ખાણી-પીણીની વસ્તુઓના સ્ટોલ લગાવ્યા જેમાં પાણીપુરી, ભેળ, દાબેલી, વેજીટેબલ સેડવીચ, પાઉંભાજી, ભૂંગરા બટેટા,ઘૂઘરા-સમોસા, ચના મસાલા, લિબુ સરબત-સોડા, કટલેરીની વસ્તુઓ વગેરે જેવા વિવિધ સ્ટોલ કરવામાં આવ્યા આ બધા જ સ્ટોલની મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લીધી. વિદ્યાર્થીઓમા ધંધાકીય અભિગમ કેળવાય તે હેતુથી વાલીઓ અને શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને પૈસા આપી નાસ્તાની ખરીદી કરી
વિદ્યાર્થીઓ વધુ નફો કેમ કમાવવો એ માટે યોગ્ય પ્રયત્ન કરે તે હેતુથી સૌથી વધુ નફો કરનારને શાળા તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું.બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના તમામ બાળકોએ આ આનંદમેળામાં ખૂબ જ મજા માણી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા બહેન કાવર માયાબેન જે. અને દલસાણીયા ડિમ્પલબેન વી. એ કરેલ હતું અને શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જે બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...