મોરબી સહીત દેશના અલગ અલગ 25 સ્થળ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલી ક્યુટોન ગ્રુપના પ્રમોટર જગદીશ દાલસાણીયા, મનોજ અગ્રવાલ, રાજીવ અદાલખ, સુનિલ મંગનુંલિયા સહિતના માલિકના રહેણાંક મકાન સહિત અનેક સ્થળ પર દરોડા પૂર્ણ દરોડા દરમ્યાન કોલકત્તા ની પાર્ટી ને 50 કરોડ રોકડા આપી 50 કરોડનો ચેક લીધાનું સામે આવ્યું રૂ. 50 કરોડની એન્ટ્રી અંગે કોલકતા ની પાર્ટી જ કબૂલાત કરી રૂ 1 કરોડ રોકડ રકમ તેમજ 2 કરોડની કિંમતના દાગીના મળી આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા હતા ક્યુટોન ગ્રૂપ દ્રારા અન્ડર ઇનવોઈસ કરી મોટી રકમની આવકની ચોરી કરી હોવાનું દરોડા માં સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં અન્ડર બિલીંગ ઈનવોઈસ કરી જીએસટી ની ચોરી પણ ખુલે તેવી સંભાવના છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સની રેડ બાદ હવે ક્યુટોન ગ્રૂપને જીએસટીનો પણ સામનો કરવો પડી શકે છે ક્યુટોન ગ્રુપની કંપનીઓ રોકડના વેચાણના અને ચેકથી વેચાણના અલગ અલગ ચોપડા બનાવતી હોવાનું પણ ઇન્કમટેક્ષ ની તપાસમાં સામે આવ્યું છે જેથી અલગ અલગ યુનિટ પરથી આવા રોકડ વહીવટ અંગેના હિસાબી ચોપડા હાથે લાગ્યા છે ગ્રુપની રોકડની લેવડદેવડ મોટી હોવાથી ચોરી 250 કરોડથી પણ વધી જવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે રોકડ વ્યવહારમાં ફાઇનાન્સરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે ક્યુટોન ગ્રુપ સાથેના તાર રાજકીય પક્ષના નેતાઓ અને અભિનેતા સુધી લંબાયા હતા જેથી રોકડથી નાણાં લેનાર કે ચૂકવનાર ને પણ દંડને પાત્ર હોવાથી ફાઇનાન્સરોની કુંડળી કાઢવામાં આવી રહી છે .
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર...
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...