વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રભુ શ્રી રામ ની જન્મભૂમિ અયોધ્યા મુકામે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ કારસેવા કરનાર મોરબી કારસેવકોના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૯૭ કારસેવકોનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ભવ્યતિભવ્ય બહુમાન કરવામાં આવ્યુ હતુ, તે ઉપરાંત મોરબી-માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કારસેવકોને શ્રી રામ મંદિર-અયોધ્યાની પ્રતિકૃતિ વાળી ઘડીયાળ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી રામધન આશ્રમના મહંત પ.પૂ. ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ બારેજીયા, સી.ડી.રામાવત, નવીનભાઈ માણેક, અનોપસિંહ જાડેજા, પ્રદીપભાઈ વાળા, હસુભાઈ પુજારા, ગોપાલભાઈ સરડવા, જે.પી.જેસ્વાણી, ડો. વનરાજસિંહ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ, ઘનશ્યામભાઈ પુજારા, હરીશભાઈ રાજા,જયેશભાઈ ટોળીયા, જયેશભાઈ કંસારા, કે.ડી. પડસુંબિયા, મુકેશભાઈ ગામી, નૈમિષભાઈ પંડિત, તેજશભાઈ બારા, કમલેશભાઈ બોરીચા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ...
માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી મોટા દહીંસરા નવલખી રોડ ઉપર જીઈબી સ્ટેશન સામે પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી જેનાં રજી. નં. જીજે. ૩૬.આર. ૫૩૫૦ વાળી લઈને ઉભા હતા ત્યારે આ કામનો આરોપી આવી ફરીયાદીની ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા...
હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડિટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને...