મોરબી: આજે તા. 20 જુલાઈ 2023 મા રોજ બેન્ક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા ટંકારા તાલુકાની સરકારી શાળા શ્રી સજનપર પ્રાથમિક શાળામાં 8 સિલિંગ ફેન ભેંટ આપવામાં આવ્યા. આ તકે ખાસ નોંધનીય છે કે બેન્ક વિવિધ ક્ષેત્રોમાં પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે.
આજે શ્રી સજનપર પ્રાથમિક શાળામાં 8 સિલિંગ ફેન આપવા માટે બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાના ચીફ મેનેજર અનિમેષભાઈ પાઠક, બેન્ક ઓફિસર દર્શનભાઈ જાનાણી અને બેન્ક કર્મચારી આનંદભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમના દ્વારા શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બેન્ક ઓફિસર શક્તિસ્વરૂપસિંગનો પણ ખૂબ જ સાથ સહકાર મળેલ જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ચીફ મેનેજર તેમજ બેન્ક ઓફિસરનું શાળા પરિવાર વતી શાલ અને પુસ્તકથી સન્માન કર્યું અને બેન્ક ઓફ બરોડા ટંકારા શાખાનો ખુબ ખુબ આભાર પ્રગટ કરેલ છે.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતમાં શ્રમિક યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં લખધીરપુર રોડની સામે હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહેલ સીરામીક શ્રમિકને પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ડમ્પર વાહને ઠોકરે ચડાવતા, ડમ્પરના તોતિંગ વ્હીલ શ્રમિક યુવકના બન્ને પગ ઉપર ફરી વળ્યાં હતા, અકસ્માત...
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...