મોરબી: સમગ્ર દેશમાં તેમ જ રાજ્યમાં ગણેશ સ્થાપના બાદ હાલ ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્ય છે ત્યારે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ હોય જે જાહેરનામાનો ભંગ કરી મોરબી મચ્છુ -૦૩ ડેમમાં ગણેશ વિસર્જન કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનસના પીલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી અરવિંદભાઈ છગનભાઇ બારૈયા રહે. ૪૦૨ રાઘવ એપાર્ટમેન્ટ, સુદર્શન પાર્ક, રામકો બંગ્લો પાસે કેનાલ રોડ મોરબીવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે સીધ્ધી વિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજકો આરોપી અરવિંદભાઈ બારૈયાને ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્બારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનુ વિસર્જન કરવાનુ હોવાની તેમજ મોરબી જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતુ હોવાનુ જાણતા હોવા છતા તે જગ્યાએ ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તથા આરોગ્ય ને નુકશાન થાય તેવુ કૃત્ય જાણી જોઈને કરી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિંધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની કુલ કિ.રૂ.૩,૯૪,૦૫૭/- મુદામાલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
ફરીયાદી સુરેશભાઇ કાનજીભાઈ મકવાણા રહે ગામ ટીકર (રણ) તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના રહેણાંક મકાનમાંથી અજાણ્યો ઇસમ સોનાના અલગ અલગ દાગીનાઓ જેની...
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - ૨૦૧૭ અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA) - ૨૦૨૨ હેઠળ હાલ ૧૯૭૧ના મંજુર અમલી વિકાસ યોજનામાં વિવિધ બાંધકામ અને વિકાસ સંબંધિત પરવાનગીઓ આપવાની પ્રક્રિયા હાલે અમલમાં છે. જેમાં આજ દિન સુધીમાં ડેવલપમેન્ટ પરવાનગી (Development Permission) ની ૬૦ તથા...
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 ની કલમ–264 અન્વયે સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. નોટિસની અવગણના તથા જોખમ યથાવત રહેતા, કલમ–268 અન્વયે હુકમ બહાર...