મોરબીમાં ગત તા ૧૮/૦૭/૨૦૨૨ ના રોજ રાજપર રોડ પર આવેલ એક ગોડાઉન માંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૩૨.૭૦ લાખની કિંમતનો ૬૨૨ પેટી વિદેશી દારૂનો જથ્થો સહિત ૪૨.૬૭ લાખનો મુદામાલ પકડી પાડ્યો હતો જેમાં મોરબીના મૂળરાજ અજીતસિંહ જાડેજા , ગોડાઉન માલિક ડેનિશ કાંતિલાલ મારવણીયા અને અન્ય તેર લોકો સામે ગુનો નોંધાયો હતો.
જેમાં મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ મયંક પંડ્યા હાલ એ ડીવીઝન વિસ્તારથી પરિચિત નથી સાથે સાથે એ ડીવીઝન હદનું બોર્ડ પણ આ રેડ વાળી જગ્યાએથી આગળ લગાડેલું હતું જેને લઈને પણ પોલીસ આ સ્થળ સુધી નાઈટ અથવા કોઈ તપાસમાં જતી નહોતી ત્યારે આ દારૂના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે એ પહેલાં જ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે જેમાં રાજ્યના ડીજીપી દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતાં ડી સ્ટાફ પીએસઆઇ એસ.એમ.રાણા અને બીટના પીએસઆઇ એ એ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જો કે બીટ ના પીએસઆઇ આ દરોડા વખતે રજા પર હતા જેથી અન્ય અધિકારી પાસે ચાર્જ હતો ત્યારે ડીજીપી દ્વારા આજે એક સાથે મોરબીના બે પીએસઆઈ અને રાજકોટ ના એક પીએસઆઇ ને સસ્પેન્ડ કરી દેવતા પોલીસ બેડામાં હડકપ મચી જવા પામ્યો છે . ત્રીજા પીએસઆઇ ની વાત કરીએ તો મોરબી પછીના દિવસે એટલે કે ગત તા .૧૯ ના રોજ સવારે રાજકોટ ના પડધરીના માઇનિગ અને ગેસ કટિંગના બે કોભાંડ સ્ટેટ વિજિલન્સ ની ટીમે પકડી પાડ્યા હતા જેમાં ત્યાંના પીએસઆઇ આર જે ગોહિલ ને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકોટ જિલ્લાના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે .
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...