ઉતરપ્રદેશથી મજુરી માટે આવેલ યુવાને ખર્ચા માટે પૈસાની માંગણી કરતાં મોત મળ્યું, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો.
વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક નામના સિરામિક કારખાનામાં ગતરાત્રિના બે પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં ખર્ચા માટે પૈસાની માંગણી કરતા યુવાનને માથામાં પાવડાના હાથા વડે અસંખ્ય ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો થતા આ મામલે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બનાવની પ્રાગ વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનપાર્ક સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા મુળ ઉતરપ્રદેશના વતની સંદીપ રાજેશભાઈ જોશી નામના યુવાને તેની સાથે મજુરીકામ માટે આવેલ આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી (રહે. બાલાબેહટ, તા. પાલી, ઉતરપ્રદેશ) પાસે ખર્ચા માટે પૈસાની માંગણી કરેલ હોય, જેમાં બંને વચ્ચે ઝઘડો થતાં ગતરાત્રીના લેબર કોલોનીના પહેલા માળે આરોપી રાનુએ પાવડાના હાથા વડે સંદીપને મોઢા પર અસંખ્ય ઘા ઝીંકી દેતા લોહીના ખાબોચિયાં ભરાઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંદીપનું મોત થયું હતું, જે બાદ આરોપી ભાગી ગયો હોય, જેથી આ મામલે મૃતક યુવાનના કૌટુંબિક ભાઇ રાહુલભાઈ જોષીની ફરિયાદ પરથી પોલીસે આરોપી રાનુ ઉર્ફે પ્રવીણ રાજકુમાર જોષી વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૧), ૧૦૩(૧) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...