ટંકારા: બાળકોમાં ધાર્મિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી ટંકારા તાલુકાના ભૂતકોટડા પ્રાથમિક શાળામાં શિવ સ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે ડિજિટલ યુગમાં બાળકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાયને આપણા ધાર્મિક મૂલ્યોને ભૂલતા જાય છે. મોબાઈલના અતિશય ઉપયોગથી બાળકો પણ ડિજિટલ બનતા જાય છે. એવા સમયે આપણા ધાર્મિક મૂલ્યોનું જ્ઞાન આપવું એ એક શિક્ષક તરીકેની પહેલી ફરજ છે. અને આપણી પ્રાચીન પરંપરાને ઉજાગર કરવા અને બાળકોને માહિતગાર કરવા ભૂતકોટડા પ્રાથમિક શાળામાં કક્કા સ્વરૂપે શિવની સ્તુતિ કરવામાં આવી. તેમજ બાળકોને પ્રાર્થનામાં શાળા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને શિવ મહિમાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...