ટંકારા: તા. 9 અને 10 ઓગસ્ટના રોજ સરકારની સૂચના મુજબ શાળામાં “બાલમેળો અને લાઈફસ્કીલ મેળા” નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધો. 1 થી 5 ના બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે રંગપુરણી, ચીટક કામ, માટી કામ, વિવિધ મોહરા બનાવવા, બાળવાર્તા વગેરેમા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તેમજ ધો. 6 થી 8 ના બાળકોએ જીવનકૌશલ્ય ને લાગતી પ્રવૃત્તિઓ જેવી કે ફ્યુઝ બાંધવા, ટાયર પંચર રિપેર કરવા,મહેંદી મુકવી, હેર સ્ટાઇલ, વેસ્ટમાંથી બેસ્ટ, મેદાન દોરવું વગેરેમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો જોડાયા હતા અને સાથે જ SMC ના અધ્યક્ષ, શિક્ષણવીદ તેમજ વાલીશ્રીઓ પણ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...