મોરબી: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું ટંકારા પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના વતની અને હાલ મોરબીના રવાપર રોડ લવ હિલ એપાર્ટમેન્ટમાં બ્લોક નં -૫૦૩મા રહેતા હરીભાઇ ભીમજીભાઈ બેરા (ઉ.વ.૫૬) એ ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ ટંકારાના ધ્રુવનગર ગામની સીમમાં કોઈ કારણસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે ટંકારા સીવીલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતા. આ બનાવમાં અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજરોજ સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો...
મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ "હર્ષોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઑગસ્ટ,...