Saturday, March 14, 2026

ટંકારાના ગણેશપર ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના ગણેશપર ગામે કોઈ કારણસર તળાવમાં ડૂબી જતાં ખેત શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મુળ દાહોદ જીલ્લાના વતની અને હાલ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેત મજૂરી કરતા મહેશભાઈ રૂપસીંગભાઈ મોહનીયા (ઉ.વ.૨૪) કોઈ કારણસર ગણેશપર ગામની ડેરીવાળી સીમમાં આવેલ પાણી ભરેલ તળાવમાં પડી ડૂબી જતાં મહેશભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ

તાજા સમાચાર