મોરબી: ટંકારા તાલુકાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા મહીલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બનાવની નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે ભવાનભાઈ શીકારીની વાડીએ રહેતા રીંકુબેન સુનીલભાઈ મોહનીયા ઉ.વ.૨૦ વાળીએ ગત તા. ૧૮-૧૦-૨૦૨૨ ના સાંજના ચારેક વાગ્યાની આસપાસ હમીરપર ગામે ભવાનભાઈ શીકારીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે પડધરી સીવીલ હોસ્પિટલમાં લઈ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લાવેલ છે. તેને વોર્ડ મેડીસીન-૧૦ માં દાખલ કરેલ છે. તેનો લગ્ન ગાળો ૩ વર્ષનો છે. તથા સંતાનમાં એક દીકરો દોઢ વર્ષનો છે. હાલ આ બનાવની નોંધ કરી ટંકારા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી.
મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રીસિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત રાત્રીના...
અત્યાર સુધી ના ૫૨ કેમ્પ મા કુલ ૧૪૭૭૧ લોકોએ લાભ લીધો તેમજ ૬૭૧૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના...