ટંકારા: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અચાનક બેભાન થઈ જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોહનભાઈ રણછોડભાઈ ડોબરીયા (ઉ.વ.૭૦) રહે. કલ્યાણપર ગામ તા. ટંકારાવાળા અચાનક બેભાન થઈ જતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ચાલુ સારવાર દરમ્યાન મોહનભાઈ નામના વૃદ્ધનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
