મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા દિપકભાઈ ગુમાનસિંગ ભુરીયા (ઉ.વ.૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરીયાની વાડીએ ગત તા.૨૨-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા. 01-02-2026 ને રવિવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી સવારે 9 થી 1 કલાક દરમ્યાન નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જેમાં 0 થી...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, RSS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે પોતાના પ્રવચનમાં “પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છે” એમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર...