મોરબી: મોરબીમાં મચ્છો માતાનાં મંદિર નજીક શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે મીની બસે હડફેટે લેતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા જ્યાં ૧૧ વર્ષની માસૂમ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નાની બજાર મુલ્લાં શેરીમાં રહેતા રસીદાબેન સમીરભાઈ બ્લોચ ઉ.વ.૩૪ વાળાએ આરોપી ભરતભાઇ નાનજીભાઈ પઢીયાર રહે. ખત્રીવાડ વઢવાણીયા શેરી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાની મીની બસ રજીસ્ટર નંબર જીજે-૦૩ -ડબ્લયુ- ૫૪૯૧ વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને ફરીયાદી અને તેના ત્રણ બાળકો ચાલીને જતા હતા તે દરમ્યાન પાછળથી હડફેટે લેતા જેમા ફરીયાદીને જમણા હાથના બાવડાના ભાગે ફેકચર જેવી ઇજા થયેલ તેમજ ફરીયાદીની દિકરી તસ્કીનને પડખાના ભાગે ઇજા કરેલ હોય તેમજ ફરીયાદીના દિકરા અલીને માથાના ભાગે પાછળ ઇજા થયેલ હોય તેમજ ફરીયાદીની દિકરી નૈકી ઉ.વ.૧૧ વાળીને છાતીના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળકિની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૪(અ),૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...