મોરબી: મોરબીમાં મચ્છો માતાનાં મંદિર નજીક શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે મીની બસે હડફેટે લેતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા જ્યાં ૧૧ વર્ષની માસૂમ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નાની બજાર મુલ્લાં શેરીમાં રહેતા રસીદાબેન સમીરભાઈ બ્લોચ ઉ.વ.૩૪ વાળાએ આરોપી ભરતભાઇ નાનજીભાઈ પઢીયાર રહે. ખત્રીવાડ વઢવાણીયા શેરી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાની મીની બસ રજીસ્ટર નંબર જીજે-૦૩ -ડબ્લયુ- ૫૪૯૧ વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને ફરીયાદી અને તેના ત્રણ બાળકો ચાલીને જતા હતા તે દરમ્યાન પાછળથી હડફેટે લેતા જેમા ફરીયાદીને જમણા હાથના બાવડાના ભાગે ફેકચર જેવી ઇજા થયેલ તેમજ ફરીયાદીની દિકરી તસ્કીનને પડખાના ભાગે ઇજા કરેલ હોય તેમજ ફરીયાદીના દિકરા અલીને માથાના ભાગે પાછળ ઇજા થયેલ હોય તેમજ ફરીયાદીની દિકરી નૈકી ઉ.વ.૧૧ વાળીને છાતીના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળકિની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૪(અ),૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...