મોરબી: મોરબીમાં મચ્છો માતાનાં મંદિર નજીક શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે મીની બસે હડફેટે લેતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા જ્યાં ૧૧ વર્ષની માસૂમ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નાની બજાર મુલ્લાં શેરીમાં રહેતા રસીદાબેન સમીરભાઈ બ્લોચ ઉ.વ.૩૪ વાળાએ આરોપી ભરતભાઇ નાનજીભાઈ પઢીયાર રહે. ખત્રીવાડ વઢવાણીયા શેરી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાની મીની બસ રજીસ્ટર નંબર જીજે-૦૩ -ડબ્લયુ- ૫૪૯૧ વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને ફરીયાદી અને તેના ત્રણ બાળકો ચાલીને જતા હતા તે દરમ્યાન પાછળથી હડફેટે લેતા જેમા ફરીયાદીને જમણા હાથના બાવડાના ભાગે ફેકચર જેવી ઇજા થયેલ તેમજ ફરીયાદીની દિકરી તસ્કીનને પડખાના ભાગે ઇજા કરેલ હોય તેમજ ફરીયાદીના દિકરા અલીને માથાના ભાગે પાછળ ઇજા થયેલ હોય તેમજ ફરીયાદીની દિકરી નૈકી ઉ.વ.૧૧ વાળીને છાતીના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળકિની માતાએ આરોપી બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૪(અ),૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...