મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પાલણપીરની જગ્યાને પવીત્ર યાત્રાધામ વિકાસમાં સમાવવા સરકારને પત્ર લખી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ રજૂઆત કરી છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં હડમતીયા ગામે સમગ્ર ગુજરાત રાજયનાં સમસ્ત અનુસૂચિત જાતિની ધાર્મીક આસ્થાનુ પ્રતિક એવા પાલણપીરની સમાધી સ્થાન મંદીર આવેલુ છે. જયાં મોટી સંખ્યામાં દુર-દુરથી લોકો દર્શનાર્થે પધારતા હોય છે દર વર્ષે ભાદરવા વદ નોમ,દસમ અને અગીયારસનો ત્રણ દિવસીય સુપ્રસિધ્ધ મેળો પણ આ જગ્યા ઉપર ભરાય છે જે ત્રી-દિવસીય મેળામાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય ધાર્મીક સ્થાનનો વિકાસ કરવો ખુબ જરૂરી હોય તેમજ લોક લાગણી હોય અદરવું હળમતીયા મુકામે આવેલ પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામ વિકાસની ગ્રાન્ટમાં સમાવેશ કરી ધાર્મીક જગ્યાનો વિકાસ કરવા લાગણી સભર નમ્ર રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢા બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ એકટીવા સાથે આરોપી મોરબીના કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ ના કાગળો...
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ...